“શ્રવણનું-અપહરણ” એક આશિર્વાદ

પ્રભુએ મારી શ્રવણશક્તિ મહદ્અંશે હરી લઇને મારા ઉપર અપરંપાર ઉપકાર કર્યો છે.
તેનાથી હું ખુબ-ખુબ ખુશ અને સુખી છું.
મારી સમજ પ્રમાણે …………..
(૧) અસત્ય હંમેશા ધીમા સ્વરે ઉચ્ચારાતું હોય છે. જ્યારે સત્ય પોકાર પાડીને બોલાતું હોય છે ……. એટલે હું અસત્ય સાંભળવામાંથી બચ્યો…
(૨) કેટલીક વાતો અને વાર્તાલાપ ક્લેશ-દુ:ખ ઉપજાવનારા હોય છે.
…એટલે હું એ ક્લેશ-ઉદ્વેગ-દુ:ખમાંથી બચ્યો…
(૩) નાના અવાજો સંભળાતા નહીં હોવાથી હું મારા કામો ખલેલ વગર
એકાગ્રતાથી કરી શકું છું.
…જેથી મારા કામો સરળતાથી-સહેલાઈથી-સફળતાપુર્વક પાર પડે છે…
(૪) બહારના અવાજો પણ ભગવદ્-પુજાઅર્ચનામાં મને વિક્ષેપ કરતાં નથી.
… એટલેજ ભગવાન સાથે એકતાર અને તનમય થઇને ધ્યાન ધરી શકું છું…
(૫) ઘરના મારી સાથે ઓછી-ખપપુરતી જ વાતો કરે છે.
…એટલે હું અંતર્મુખી થતો જાઉ છું, પરિણામે દુન્યવી માયાથી અલિપ્ત થતો જાઉ છું…
મ્રુત્યુ તરફ ઢાળના સમયે વાસના વિરક્તિ અને વૈરાગ્ય સહજ પ્રાપ્ત થાય છે પરિણામરૂપે અવર્ણનીય હળવાશ અને આધ્યાત્મિક શાંતિનું દુર્લભ સુખ માણી રહ્યૉ છું…..
વધુ જોઇએ પણ શું ? ! ? ! ?
અને એટલે જ એને હું પરમ કૃપાળુ ભગવાનની પરમ કૃપા સમજુ છુ.
(શ્રી ધીરજલાલ એમ. વૈધ નો આ લેખ મોકલી આપવા બદલ ખુબ ખુબ આભાર)








